હરિબાવા દર્શન



પ્રત્યેક કાર્યોની સિધ્ધિ માટે પહેલાં શ્રી ગણેશ,ગુરુ,સૂર્ય,બ્રહ્મા,વિષ્ણુ,શિવ અને સરસ્વતીને પ્રણામ કરું છું.)
।। મંથન ।।
સદ્દગુરુ તરીકે લોકોના હ્રદયકમળમાં વષોઁથી વિરાજમાન એવા પરમ પૂજ્ય શ્રી હરિબાવા મહારાજ વિશે પ્રત્યેક વ્યકિત કપોલકલ્પિત વિચારો રજૂ કરે છે. બુધ્ધિજીવીઓ માટે સંશોધનનો વિષય છે. સદ્દગુરુ હરિબાવાનો મહિમા અનંત છે. એમની જીવનલીલાને જાણવાની સમજવાની જીજ્ઞાસાએ અમને અહીં એમના વિશે મંથન કરવા પ્રેરિત કર્યા છે.


આવનારી પેઢી એમના વિશે અજ્ઞાત રહે તે શોભનીય નથી. અત્યારપછીની પેઢી આ વૈજ્ઞાનિક યુગમાં વૈકલ્પિક વિચારશ્રેણીથી ભરમાઈને પરમ પૂજ્ય સદ્દગુરુ શ્રી હરિબાવા મહારાજના આર્શિવાદથી વંચિત રહી ન જાય એટલા માટે સવેળાએ અહિં આ પુસ્તકરૂપે પૂ. હરિબાવાની જ્યોત પ્રગટાવી સૌના હદયને પ્રકાશિત કરવાનો અમારો આ પ્રયત્ન અસ્થાને નથી.

Comments